તહોમતનામુ તૈયાર કરવા બાબત. - કલમ:૨૪૦

તહોમતનામુ તૈયાર કરવા બાબત.
(૧) જો એવી વિચારણા હોય તે જુબાની અને સુનાવણી પછી મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે પોતાને જેની ઇન્સાફી કાયૅવાહી કરવાની સતા છે અને જેને માટે પોતે પુરતી શિક્ષા કરી શકે તેમ છે તેવો આ પ્રકરણ હેઠળ ઇન્સાફી કાયૅવાહી કરી શકાય તેવો ગુનો આરોપીએ કર્યો છે એવુ માની લેવાને કારણ છે તો મેજિસ્ટ્રેટે આરોપી વિરૂધ્ધ લેખિત તહોમતનામુ તૈયાર કરવુ જોઇશે
(૨) ત્યાર પછી આરોપીને તહોમતનામુ વાંચી સાંભળાવી સમજાવવુ જોઇશે અને તે તહોમતનામાવાળો ગુનો કબુલ કરે છે કે તેની સામે ઇન્સાફી કાયૅવાહી થાય એવી તે માગણી કરે છે તેવો પ્રશ્ન તેનો પુછવો જોઇશે